ગુજરાતદિલ્હી એનસીઆરદેશભારતભાવનગરરાજનીતિ

કોળિયાક નિષ્કલંક મહાદેવ મંદિર ખાતે અનેક સુવિધાઓ ઉભી કરવામાં આવશે

રાજ્ય કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા દ્વારા ખાસ મુલાકાત લેવામાં આવી...

કોળિયાક મંદિર વિસ્તારના સર્વે અને સમગ્ર યાત્રાધામના વિકાસ અંગે મંત્રીશ્રીએ ભાવનગરના કલેક્ટર શ્રી મનીષકુમાર બંસલ, ડી.ડી.ઓ ચૌધરીજી તથા અન્ય જિલ્લા અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી અને ખાસ મુલાકાત દરમિયાન યાત્રાધામને વધુ સુસજ્જ અને આધુનિક બનાવવા માટે માળખાગત સુવિધાઓ અંગે વ્યાપક વિચારમંથન કરવામાં આવ્યો જયારે અહીંયા દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે, તેથી તેમની સુવિધા માટે મંદિર સુધી સરળ અને સુરક્ષિત માર્ગ અને વિશાળ પાર્કિંગની વ્યવસ્થા તેમજ શ્રદ્ધાળુઓ માટે આરામગૃહ અને અન્ય આધુનિક સુવિધાઓના વિકાસ માટેના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી આ સ્થળની મુલાકાત દરમિયાન GMB પોસ્ટ ઓફિસર મિશ્રા સાહેબ, ગ્રામ્ય મામલતદાર બેલદારજી, કોળિયાક ગામના અગ્રણી શ્રી ગોવિંદભાઈ ડાભી, શ્રી વી.ડી. ભાઈ જેઠવા તથા જિલ્લા પંચાયત સભ્ય રઘુભાઈ ગોહેલ ઉપસ્થિત રહ્યા હતાં

નિષ્કલંક મહાદેવ મંદિર માત્ર આસ્થાનું નહિં પણ આપણા ઐતિહાસિક અને આધ્યાત્મિક વારસાનું મહત્વપૂર્ણ સ્થાન છે. તેનું સાચું સંવર્ધન કરીને ભાવિ પેઢી માટે ગૌરવપાત્ર યાત્રાધામ બનાવવાની દિશામાં રાજ્ય અને કેન્દ્ર સરકાર સંકલ્પબદ્ધ છે…

અહેવાલ :- અશ્વિન ગોહેલ ભાવનગર

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!