E-PaperUncategorizedઅરવલ્લીગાંધીનગરગુજરાતગુજરાતભારતભાવનગરરાજ્યસાબરકાંઠા

પોરબંદરથી પહલગામ સુધી શાંતિ અને એકતાનો સંદેશો લઈને નીકળેલી “અહિંસા યાત્રા“ સુરેન્દ્રનગર ઇદગાહ ખાતે પહોંચી હતી

સુરેન્દ્રનગર ઈદગાહ ખાતે લોકો ભેગા થયાં અને સમસ્ત મુસ્લિમ સમાજે ઉલ્લાસ ભર્યું સદ્દામ બાપુ નું સ્વાગત કર્યું હતુ

ગુજરાત નો બીજો ગાંધી એટલે સદ્દામ બાપુ કાદરી જેઓ એ અહિંસા ની ભૂમિ એવી ગાંધી ભૂમિ થી આંતકવાદ ખિલાફ “પોરબંદર-થી-પહેલગામ” પદ યાત્રા શરુ કરી હતી હાલ આ પદ યાત્રા સુરેન્દ્રનગર પોહચી છે, જેમાં હઝારો ની મેદની ઉમટી પડી હતી આ યાત્રા માં જોડાવા,
સુરેન્દ્રનગર ઈદગાહ ખાતે લોકો ભેગા થયાં અને સમસ્ત મુસ્લિમ સમાજે ઉલ્લાસ ભર્યું સદ્દામ બાપુ નું સ્વાગત કર્યું હતુ

આ અહિંસા યાત્રા એક એકતા છે એક વચન છે એક ઇન્કલાબ છે અને આ યાત્રા નું હેતુ જે લોકો પેહેલગામ માં આંતકવાદ માં શહીદ થયાં છે, એમની મદદ પોહચે અને જે સ્કેનર દ્વારા પોહચાડી શકે છે

સુરેન્દ્રનગર ઇદગાહ ખાતે આજ રોજ પોરબંદર થી પહેલગામ ખાતે ચાલી ને જતા સૈયદ સદામબાપુ ઇદગાહ ખાતે નમાઝ અદા કરેલ જ્યારે સુરેન્દ્રનગર ના રેહબર સૈયદ યુસૂફબાપુ સુરેન્દ્રનગર ના શહેર કાજી સહિત અનેક આગેવાનો એ સુરેન્દ્રનગરનગર ના સમાજ ના આગેવાનો દ્વારા સૈયદ સદામબાપુ નું ફૂલ હાર પહેરાવી ને સ્વાગત કરવામાં આવેલ અને આંતકવાદ નો વિરોધ કરવામાં આવેલ અને હિન્દુસ્તાન ના હિન્દુ મુસ્લિમો ની કોમી એકતા સાથે રહે એવી દુવા કરવામાં આવેલ

કાશ્મીરના પહલગામમાં ફરવા ગયેલા નિર્દોષ પર્યટકોની આતંકવાદીઓ દ્વારા જે હત્યા કરવામાં આવી જેથી કરીને ભારતમાં રહેતા હિન્દુ અને મુસ્લિમો વચ્ચે વૈમનસ્ય ઉભુ થાય અને ભારતમાં અંદરો અંદર ઝગડા થાય આતંકવાદીઓની આવી નાપાક ચાલ ને પડકારતા મુસ્લિમ સમાજનું પ્રતિનિધિત્વ કરતા મૂળ જામજોધપુરના સૈયદ ઘરાનાના યુવા એડવોકેટ જાવેદઆઝાદ કાદરી ઉર્ફે સદ્દામબાપુ મહાત્મા ગાંધીની જન્મ ભૂમિ ગુજરાતના પોરબંદરથી આતંકવાદીઓએ દ્વારા જ્યાં હુમલો કરવામાં આવ્યો તે કાશ્મીરના પહલગામ સુધી પદયાત્રા એ નીકળ્યા છે અને તેને ‘’અહિંસા યાત્રા” નામ આપવામાં આવ્યું છે જેનો મતલબ કે આ કોઈ એક માત્ર પદયાત્રા નથી, પણ તે શાંતિ, માનવતા અને દેશભક્તિનું પ્રતિક છે આ પદયાત્રા દરમિયાન લોકોને અપીલ કરીને કોડના માધ્યમથી એક ફંડ ભેગું કરવામાં આવશે જે પહલગામ હુમલાના પીડિતોને આપવામાં આવશે વધુમાં સદ્દામબાપુએ તમામ લોકોને ઇસ્લામ ધર્મ શું છે, ઇસ્લામ ધર્મને આતંકવાદ સાથે કોઈ સંબંધ નથી, આતંકવાદનો કોઈ ધર્મ નથી જેવી માહિતીથી ગામ લોકોના દિલ જીત્યા હતા.અને”અહિંસા યાત્રા” પોરબંદરથી શરૂ થઈને પહેલગામ સુધીના ૨૦૦૦ કિલોમીટરથી વધુના માર્ગને આવરી લે છે, જેનો મુખ્ય હેતુ છે આંતકવાદના વિરોધમાં હિન્દુ-મુસ્લિમ સહિત તમામ સમાજોએ એક ભારતીય બનીને અવાજ ઉઠાવવો અને ભારતમાં હિંદુ-મુસ્લિમ એક્તાનું સંદેશ આપવો તેમજ ભારતીય સેના અને શહીદોના પરિવારજનોને સમર્થન સાથે આર્થિક મદદ કરવી તેવો ધ્યેય સાથે આ યાત્રા યોજવામાં આવી છે

અહેવાલ :-અશરફ વોરા સુરેન્દ્રનગર…..

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!